Wednesday, November 6, 2019

પોસ્ટ 21: ગુણવંત શાહની પ્રાર્થના



કોઈ તરસ્યા અજાણ્યા માણસને પાણી ધર્યું, એ પણ પ્રાર્થના.
કોઈ ભૂખ્યા માણસને અડધો રોટલો આદરપૂર્વક આપ્યો, એ પણ પ્રાર્થના.
કોઈ ગંદી ભોંય પર સફાઈ કરી, એ પણ પ્રાર્થના.
ક્રોધે ભરાયો ત્યારે મૌન જાળવ્યું, એ પણ પ્રાર્થના.
કોઈને ભૂલથી ખલેલ પહોંચાડી ત્યારે, 
ખરા દિલથી 'સૉરી' કહ્યું, એ પણ પ્રાર્થના.
કોઈ પર ઉપકાર કર્યા પછી વાત ખાનગી રાખી, એ પણ પ્રાર્થના.
કોઈ સજ્જનનો પક્ષ લેતી વખતે,
મુસીબત વેઠીને પણ મક્કમતા બતાવી, એ પણ પ્રાર્થના.
કોઈ જગ્યાએ વેરવિખેર પડેલું પ્લાસ્ટિક વીણી લીધું, એ પણ પ્રાર્થના.
અજાણ્યા માંદા માણસને રાહત પહોંચાડી, એ પણ પ્રાર્થના.
માંસાહાર કરવાનું ટાળ્યું, એ પણ પ્રાર્થના.
ચાલતી વખતે મંકોડા પર પગ ન પડે તેની કાળજી રાખી, એ પણ પ્રાર્થના.
વાંદા મારવાની દવા છાંટવાને બદલે ઘરમાં સ્વચ્છતા જાળવી, એ પણ પ્રાર્થના.
પરનિંદા થતી હોય, ત્યારે તેમાં રસ લીધા વિના મૌન જાળવ્યું, એ પણ પ્રાર્થના.   
- ગુણવંત શાહ